Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ખાંભાના ગીરકાંઠામાં વરસાદથી ખેડૂતોના ઉભા પાકને જીવતદાન

એકમાસ બાદ વરસાદ આવતા ખેડૂતોના માથેથી નુકસાનનો ખતરો ટળ્યો:લોકોને ગરમીમાં રાહત

 

અમરેલીમાં મેઘો ધોધમાર વરસ્યો છે  ખાંભાના ગિરકાંઠામાં વરસાદ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યુ, છે ,તાલડા, જામકા, વાંગધ્રા અને નિગાળા સહિતના ગામોમાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા.હતા 

વાવણી કર્યા બાદ ખેડૂતો પાણી વિના પરેશાન થયા હતા .. પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ હતી..પરંતુ એકમાસ બાદ વરસાદ આવતા ખેડૂતોના માથેથી નુકસાનનો ખતરો ટળ્યો છે બીજીતરફ ..ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા હવામાં ઠંડકની લહેર પ્રસરી હતી જેન કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી .

(12:45 am IST)