Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ધારીમાં પરપ્રાંતીય યુવાનની પથ્થરના ધા ઝીંકી હત્યા

ધારીઃ ધારીમાં વાઘાપરના વોંકળી વિસ્તારમાં ખોડિયાર ડેમના પાણીમાં અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઇ હતી અને હાથ ધરેલી  તપાસમાં મૃતક શિવનગરમાં અધૂરા પડેલા એપાર્ટમેન્ટમાં રહેતો મૂળ ઝાલોદના વેલપુર ગામનો સુરેશ માનસીંગ ચંદાણા નામના આદિવાસી યુવાન હોવાનું ખુલ્યું હતું અને બાજુમાં લોહીવાળો પથ્થર પડયો હોય માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.  આ બનાવ અંગે પોલીસે મૃતક સુરેશના પરીવારજનોને પૂછતાછ હાથ ધરી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી હતી.

(12:23 pm IST)