Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પાલઘરમાં ર સાધુ અને ડ્રાઇવરની હત્યામાં સંડોવાયેલ સામે કડક પગલા લેવા અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદ બાપુની માંગણી

જુનાગઢ તા. રરઃ મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં કાસાથાનાની પાસે તા. ૧૬મી ના રોજ શ્રી પંચ દશનામ જુના અખાડાના સંત કલ્પવૃક્ષગિરી અને સુશીલગીરી અને તેના ડ્રાયવરની ર૦૦ જેટલા લોકોના ટોળાએ હત્યા કરી.

આ બનાવને વખોડી હત્યારાઓને ઝડપી લઇ દાખલારૂપ સજા કરવા શ્રી પંચઅગ્નિ અખાડાના સભાપતિ અને અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહંત મુકતાનંદજી મહારાજે માંગણી કરી છે અને જણાવ્યું છે કે પંચ અગ્નિ અખાડાના સંતો હત્યાકાંડનો વિરોધ કરી જુના ખાડાના સંતો સાથે રહી ઉગ્ર વિરોધ કરી હત્યારાઓ સામે કડક સજા કરવા સરકારશ્રીને જણાવ્યું છે.

(12:49 pm IST)