Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઓખા દરિયામાં બોટમાં ક્ષતિ સર્જાયા બાદ ૭ ખલાસીઓને બચાવાયા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૨ : ઓખાથી ૮૦ નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે સમયે માછીમારે ચેનલ નંબર ૧૬ની મદદ લીધી હતી, જે દરમિયાન ભારતીય નૌકાદળનું ત્‍ફલ્‍ કરુવા તેના રૂટીન પેટ્રોલિંગ પર હતું.ભારતીય નૌકાદળનું જહાજ INS કરુવા કર્મચારીઓએ ફિશિંગ બોટની અંદર એકઠું થયેલું ૩૦ ટન પાણી દૂર કર્યું અને ૭ ખાલસીઓને ભારતીય નૌકાદળના જહાજમાં લઈ ગયા અને ત્‍યારબાદ તમામ ૭ ખાલસીઓને પ્રાથમિક આરોગ્‍ય તપાસ બાદ ઓખા મરીન ખાતે લઈ જવામાં આવ્‍યા. આઈએનએસ દ્વારકાના અધિકારીઓને કિનારે સોંપવામાં આવ્‍યા અને અધિકારીઓ અને નેવીના જવાનોએ આગળની સત્તાવાર કાર્યવાહી કરીને તમામ ખાલસીઓના જીવ બચાવીને તેમની ફરજ બજાવી હતી.(તસ્‍વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

(12:03 pm IST)