Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વાંકાનેર અને હળવદ પંથકમાં અપમૃત્યુના બનાવ: સગીરા સહીત બેના મોત: અરેરાટી

હલરમાં આવી જતા સગીરાનું મોત અને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું કરૂણમોત

વાંકાનેર અને હળવદ પંથકમાં બે અપમૃત્યુના બનાવ નોંધાયા છે જેમાં સગીરા સહીત બેના મોત થયા છે

વાંકાનેર પંથકમાં અપમૃત્યુના બનાવમાં કોમલબેન અશોકભાઈ કોળી (ઉ.વ.૧૭) રહે કોઠારીયા તા. વાંકાનેર વાળી સગીરા વાડીએ મજુરી કામ કરતા મગફળી કાઢવાના હલરમાં આવી જતા તેનું મોત થયું છે

 જયારે બીજા બનાવમાં હળવદના સાપકડાના રહેવાસી ભરતભાઈ માવુંભાઈ ભાટિયા (ઉ.વ.૪૮) વાળા આધેડ જેઠવાધાર પાસેની વાડીમાં મોટર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું છે બંને બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(12:13 am IST)