Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

વેરાવળના સોની બજારમાં બાબુલનાથ મંદિરનો સ્‍લેબ તૂટી પડ્યો : વેપારીને ગંભીર ઇજા થતા હોસ્‍પિટલમાં ખસેડાયા

વેરાવળ : વેરાવળ સોનીબજારમાં પૌરાણીક ભગવાન શિવનું બાબુલનાથ મંદિરમા નવી લાદી અને સ્લેબ ઉતારીનવો સ્લેબ માટેની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક જ કામ ચાલુ હતુ ત્યારે મંદિરનો બહારનો અને સ્લેબનો ભાગ ધડાકાભેર તુટી પડતા નજીકમાં જ સોનીકામની દુકાન ધરાવતા નરેશભાઇ શાહ દુકાન વધાવતા હતા ત્યારે તેમની માથે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે વેરાવળ પ્રાઇવેટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

સોનીબજારના સોની મહાજનો આજે સાંજે દુકાનો બંધ કરી સોમનાથ મહાદેવ પાસે વરૂણ દેવને રીઝવવા અને વરસાદ માંગવા માટે જવાના હતા તેની તૈયારી રૂપે દુકાનો વધાવતા હતા ત્યાં જ આ બનાવ બનતા તેમણે સોમનાથ જવાનું મોકુફ રાખ્યુ હતું.

(12:25 pm IST)