Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આટકોટના બળધોઇમાં એસ.ટી.બસ ઉભી ન રાખતા પથ્થરમારો

છેલ્લા ૧પ'દિથી ગારીયાધાર રાજકોટ રૂટની બસ રોકાતી જ નથીઃ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ધીરજ ગુમાવી

આટકોટ, તા.૨૧: રાજકોટ ભાવનગર હાઇ-વે ઉપરના આટકોટ ગામ પાસેના બળધોઇ ગામમાં છેલ્લા ૧પ દિવસથી એસ.ટી.બસ ઉભી ન રાખતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એસ.ટી.બસ ઉપર પથ્થરમારો કરતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગારીયાધાર રાજકોટ રૂટની એસ.ટી. બસમાં વિદ્યાર્થીઓ ગ્રામજનો અપડાઉન કરે છે. પરંતુ આ એસ.ટી.બસ છેલ્લા ૧પ દિવસથી બળધોઇ ગામમાં ઉભી રહેતી ન હતી. જેના કારણે  વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ધીરજ ખૂટી હતી અને આજે સવારે આ એસ.ટી.બસ બળધોઇ ગામ પાસેથી પસાર થઇ હતી ત્યારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો.

જો કે આ પથ્થરમારાની ઘટનામાં મુસાફરોનો બચાવ થયો હતો. પરંતુ બસના આગળના કાચમાં તિરાડ પડી ગઇ હતી.

આ બનાવ અંગે એસ.ટી. ડ્રાઇવરે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:00 pm IST)