Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૨૩ કેસ નોંધાયા :સરકારી ચોપડે એકપણ મોત નહિ:કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૧ મૃતદેહનો અંતિમ સંસ્કાર

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૩ કેસ નોંધાયા છે જીલ્લામાં ૪૯ દર્દીઓ સ્વસ્થ થયા છે તો સરકારી ચોપડે આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩ કેસોમાં ૦૮ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદમાં ૦૩ કેસ ગ્રામ્ય પંથકમાં તેમજ ટંકારાના ૦૪ અને માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે જીલ્લામાં ૪૯ દર્દીઓ સ્વસ્થ થયા છે તો સરકારી ચોપડે એકપણ મોત આજે નોંધાયું નથી
આજના નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૪૨૩ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ફાયર ટીમે એક મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો છે

(10:41 pm IST)