Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા રાહ પર ચાલતા જિલ્લા બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતા લલીતભાઈ રાદડિયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: સૌરાષ્ટ્ર ના લડાયક નેતા ની છાપ ધરાવતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના કાર્યને અવિરત ચાલુ રાખવા માટે વિઠ્ઠલભાઈ રાદડિયા ના પુત્ર લલિત રાદડિયા જેવો આજે રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કના ડિરેકટર છે અને તેમના પિતા જે પ્રકારે પ્રવાસ કરતા હતા એ પ્રકારે ટીમ સાથે જેતપુર ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે નીકળ્યા હતા
  જેતપુર તાલુકાના ગ્રામ્ય પ્રવાસના યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાના આયોજનને અનુલક્ષીને શ્રીરાજકોટ જીલ્લા સહકારી બેંકના ડિરેક્ટર.લલિત રાદડીયા,રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,જીલ્લા પંચાાયતના સદસ્ય જનકભાઈ ડોબરીયા,સુભાષભાઈ બાંભરોલીયા,ભુપતભાઈ સોલંકી તેમજ વેલજીભાઈ સરવૈયા વિપુલભાઈ બાલધા સહિતના આગેવાનોએ ઉમરાળી,વાળાડુંગરા,હરીપર,મેવાસા

જેતપુર,થોરાળા,સેલુકા,રબારીકા તેમજ જાંબુડી ગામની મુલાકાત લઈને ગ્રામ્ય આગેવાનો તેમજ લોકો સાથે સંવાદ કરેલ.હતો

 

(9:53 pm IST)