Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે ભાવનગરના મહુવા તાલુકાની મુલાકાત લેશે

મુખ્યમંત્રી તાઉ’તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત કરશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે તા. 22મી મેના રોજ તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની રૂબરૂ મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવશે.

 મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.30 કલાકે વાવાઝોડા પ્રભાવિત મહુવા તાલુકાના ખાર ઝાંપા અને જનતા પ્લોટના અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કરીને નુકસાનીનો અંદાજ મેળવી ગામ લોકો સાથે સંવાદ કરશે.
મહુવા તાલુકાના ગામોના નિરીક્ષણ બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને થયેલ નુકસાનીનો અંદાજ મેળવીને યુદ્ધના ધોરણે કામગીરી કરીને બાકી રહેલી સુવિધાઓ પણ જલ્દી પૂર્વવત થાય તે માટે સંબંધિતોને જરૂરી સૂચનાઓ-માર્ગદર્શન આપશે.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન તેમજ મહિસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત અધિકારીઓ જોડાશે.

(9:21 pm IST)