Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

દ્વારકાધીશ મંદિર ૨૭મી સુધી દર્શનાર્થીઓ માટે હજુ બંધ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકાઃ તા.૨૧, શ્રી દ્વારકાધીશ મંદિર તા.૨૭મી સુધી દર્શનાથીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇ તા.૧૨/૦૪/૨૦૨૧ થી તા.૨૭/૦૫/૨૦૨૧ સુધી જગત મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ હતો. દરમિયાન ગુજરાત સરકારના ગૃહ વિભાગની સુચના અનુસાર આગામી તા.૨૨ થી તા.૨૭ સુધી જગત મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જગત મંદિરમાં પુજારી પરિવાર દ્વારા પારંપારીક નિત્યક્રમ કરવામાં આવશે. જે દર્શનનો લાભ સંસ્થાની અધિકૃત વેબ સાઇટ WWW. DWARKADHIS.ORG માં લાઇવ નિહાળી શકાશે. તેમ એન.ડી. ભેટારીયા વહીવટીદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી દ્વારકાએ જણાવ્યુ છે. (તસ્વીરઃદિપેશ સામાણી દ્વારા)

(3:32 pm IST)