Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામનગરમાં કોરોના ઘટયો : ૨૦૦ નજીક આવવા લાગ્યા પોઝિટિવ કેસો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : શહેર- જિલ્લામાં ઘણાં દિવસો પછી, કાલે ગુરૂવારે કોરોના પોઝિટિવનાં ઘણાં ઓછાં કેસ નોંધાયા છે, જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટની પ્રક્રિયા ધીમી પડ્યાનું દેખાય છે. સમગ્ર જિલ્લામાં માત્ર ૨૦૩ કેસ નોંધાયા છે જે પૈકી જામનગર શહેરમાં ૧૩૮ અને ગ્રામ્ય માં માત્ર ૬૫ કેસ નોંધાયા છે.

જામનગર શહેરમાં ૩૧૩ અને ગ્રામ્યમાં ૧૧૨ મળી કુલ ૪૨૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. જામનગરમાં સરકારી રેકર્ડ ઉપર ૨૪ કલાકનો મોતનો આંકડો માત્ર ૫ છે. જામનગર શહેરમાં ૩ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨ મોત નોંધાયા છે. જેથી તે દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે અને સ્થિતિ પૂર્વવત થતી દેખાઈ રહી છે.

(12:55 pm IST)