Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

પોરબંદરમાં જમ્બો જેટ ગતિએ કોરોનાઃ નવા ૯પ કેસઃ ર મૃત્યુઃ ૬૩ દર્દીઓ સારવારમાં સાજા થયા

(પરેશ પારેખ, સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. જિલ્લામાં કોરોના સંક્રમણે જમ્બો જેટ ગતિ પકડી છે ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના નવા ૯પ કેસ આવ્યા છે અને કોરોનાની સારવારમાં ર દર્દીઓના મૃત્યુ થયેલ છે. જિલ્લામાં કોરોના સંક્રમણે ફરી જમ્બો ગતિ પકડી છે કોરનાના નવા ૯પ  પોઝીટીવ કેસ આવતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ર૪૬ર પહોંચી છે કોરોનાની સારવારમાં ર દર્દીઓના મૃત્યુ થતા અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૪૪ થયો છે. કોરોનાની સારવારમાં ૬૩ દર્દીઓ સાજા થઇ ગયેલ છે અત્યાર સુધીમાં જિલ્લામાં  ૧૯૯૪ દર્દીઓ સાજા થઇ ગયેલ છે. જિલ્લામાં ૩૮૩ વ્યકિત હોમ આઇસોલેશન છે. સીવીલમાં નવા ૩૮ દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

(12:53 pm IST)