Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

દ્વારકાવાસીઓ આનંદો...! કોરોના સંક્રમણ ઘટતાં આજથી સ્વૈચ્છિક બંધ હટાવી લેવાયુ

આજથી બપોર બાદ પણ બજારો ધમધમશેઃ જયોતિબેન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૧: દ્વારકા શહેરમાં હાલમાં ચાલી રહેલ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન આજથી ખૂલી ગયુ છે અને પહેલાની જેમ જ વેપારીઓ દિવસભર દૂકાનો ખૂલ્લી રાખશે એમ નગરપાલીકા પ્રમુખ જયોતિબેન પી.સામાણી દ્વારા જણાવાયું છે. હાલમાં યાત્રાધામ દ્વારકામાં આશરે વીસથી પચ્ચીસ દિવસથી વધતા કોરોના સંક્રમણને લીધે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક રીતે લેવાયેલ નિર્ણય મુજબ બપોરે બે વાગ્યા બાદ બંધ રાખી આંશિક લોકડાઉન રાખવામાં આવ્યુ હોય બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવતી હતી.

જેમાં હાલ કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં આજથી પુનઃ બપોર બાદ પણ બજારો ધમધમશે. આવતીકાલે સ્વૈસ્ચ્છિક લોકડાઉન ખૂલતાં સાથે દુકાનદારોને તેમજ સ્થાનીકોને ફરીવાર સંક્રમણ ન ફેલાય તે હેતુ કોવિડ-૧૯ના નિયમો તથા ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા પાલીકા પ્રમુખ જયોતિબેન સામાણી દ્વારા અપીલ કરાઇ છે.

(12:10 pm IST)