Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ગોંડલ એસ ટી ડેપો ખાતે કોરોનામાં મૃત્યુ પામેલ કર્મચારીઓને શ્રદ્ઘાંજલિ અર્પણ

ગોંડલઃ રાજકોટ ડિવિઝનમાં ફરજ બજાવતા કર્મચારીના કોરોના ને કારણે મૃત્યુ થતા માન્ય યુનિયનો દ્વારા ગોંડલ એસ ટી ડેપો શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી. હતી. આ તકે ડેપો મેનેજર જે આર અગ્રાવત, ત્રણેય માન્ય યુનિયનના આગેવાનો બી પી સોલંકી, સિદ્ઘાર્થભાઈ ધાધલ, શૈલેષભાઇ ગોવાણી, સનતભાઈ વામજા, હિતુભા જાડેજા, હનીફભાઈ સપ્પા સહિત કર્મચારીઓ કોરોના ગાઈડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે એસ ટી કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ ગણવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

(12:08 pm IST)