Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જૂનાગઢ ચિતાખાના ચોકમાં વાવાઝોડાના કારણે મકબરાની દિવાલ ધરાશાયી થતા સમારકામની માંગણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૧ : વાવાઝોડાના કારણે જૂનાગઢ ચિતાખાના ચોક ખાતે બાબી કબ્રસ્તાનમાં એક જર્જરીત મકબરાની દિવાલ ધરાશાહી થતાના સમાચાર મળતાની સાથે સમસ્ત બાબી પરિવારના મંત્રી અને યુવા સામાજીક કાર્યકર રેહાનખાન બાબીએ સ્થળ તપાસ કરી હતી.

તેઓએ જણાવ્યુ હતુ કે, બાબી કબ્રસ્તાનમાં મકબરો ૨,૫૦,૩૦૦ વર્ષ જૂના છે. તા.૧ના ગાંધીનગર ડાયરેકટ પુરાતત્વ વિભાગને લેખીત રજૂઆત પણ રેહાનખાન બાબીએ કરેલ જેની નકલ પર્યટન મંત્રી ગાંધીનગર જૂનાગઢ કલેકટર અને જૂનાગઢ મેયરને મોકલી છે.

જેમાં જણાવેલ છે કે બાબી કબ્રસ્તાન મકબરાઓમાં પ્રવેશદ્વાર પાસેનું એક મકબરો ખૂબ જ કફોડી હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે એમ છે.

 આ બાદ ફરી તપાસ પણ થઇ અને તે પછી વાવાઝોડાના કારણે એક દિવાલ પડી ગયેલ છે તો વહેલી તકે ધ્યાને લઇને યોગ્ય કરવા માંગ કરી છે.

(12:08 pm IST)