Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ બેના મોત : ૧૧૦ કેસ

ભાવનગર તા.૨૧ : ૧૧૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦,૨૦૪ થવા પામી છે. જેમા શહેરી વિસ્તારમાં ૩૮ પુરૂષ અને ૨૧  સ્ત્રી મળી કુલ ૫૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તાલુકામાં ૧૭, ઘોઘા તાલુકામાં ૧૩, તળાજા તાલુકામાં ૬, પાલીતાણા તાલુકામાં ૩, વલ્લભીપુર તાલુકામાં ૨, ઉમરાળા તાલુકામાં ૨, જેસર તાલુકામાં ૫ તેમજ ગારીયાધાર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૫૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીઓ અને સિહોર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.ર્ઙ્ગી

મહાનગરપાલિકા વિસ્તારમા ૧૫૩ અને તાલુકાઓમાં ૭૮ કેસ મળી કુલ ૨૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૨૦૪ કેસ પૈકી હાલ ૩,૨૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૬૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:06 am IST)