Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

કચ્છમાં એક પરિવારના ૪ના મોત સાથે કોરોનાના ગંભીર દર્દીઓ વધ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧: કચ્છમાં કોરોનાના કેસોની સરકારી ચોપડે વધ ઘટ વચ્ચે ગંભીર દર્દીઓ વધી રહ્યા છે. વધુ ૧૩૪ દર્દીઓ સાથે કુલ ૩૬૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે ૨ ના વધુ મોત થયા છે. જોકે, તંત્રના દફતરે આંકડાઓની વધઘટ વચ્ચે ગંભીર કેસો વધુ છે. અત્યારે પણ વેન્ટિલેટર અને ઓકિસજન ધરાવતા બેડ ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાલી છે. રાપરમાં તો કોરોનાથી અઠવાડિયામાં એક જ પરિવારના ૪ સદસ્યોના મોત થયા હતા. બીએસએનએલ ના કર્મચારી અનોપસિંહ જાડેજા, તેમના કાકાઈ ભાઈ નરપતસિંહ જાડેજા ના મોત થયા હતા. જયારે એક અઠવાડિયા પૂર્વે તેમના પરિવારના બે વડીલ સદસ્યોના કોરોનાથી મોત નીપજયા હતા.

(11:05 am IST)