Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના માત્ર ૧૩ કેસ નોંધાયા, સરકારી ચોપડે એકપણ મોત નહિ: કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૦૪ મૃતદેહના અંતિમ સંસ્કાર

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩ કેસ નોંધાયા છે જયારે ૫૨ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે જયારે સરકારી ચોપડે આજે પણ એકેય મૃત્યુ નોંધાયું નથી
આજના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૪ કેસો, ટંકારાના ૦૫ કેસો અને માળિયા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૩ કેસ નોંધાયા છે જયારે વાંકાનેર તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી જીલ્લામાં ૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે તો સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી
ફાયર વિભાગે કોવિડ પ્રોટોકોલ મુજબ ૦૪ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે એક્ટીવ કેસનો આંક ૪૪૯ થયો છે

(10:13 pm IST)