Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

દ્વારકાધીશ મંદિર પરિસરમા આગથી દોડધામઃ જાનહાની ટળી

દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આવેલ ભગવાન નાં મોટાભાઇ બલદેવજી ના મંદિર માં શોટ સર્કીટ ના કારણે કાલે વહેલી સવાર ના આગ  આગ લાગી હતી. ફરજ પરના સિકયુરેટી જવાન જાણ થતા ફાયર સ્ટાફ પુજારીઓ ને જાણ કરી મંદિરમાં આવેલ ભોગ ભંડાળ માંથી પાણી ની ગાગરો અને ડોલું થી આગ કાબુમાં લીધી હતી. પ્રાપ્ત વિગત અનુસાર   કાલે વહેલી સવાર ના ૫:૩૦ વાગ્યા ની આસપાસ દ્વારકાધીશ જગત મંદિર પરીસર માં આવેલ દ્વારકાધીશ ના મોટાભાઈ બલદેવજી ના મંદિર માં શોટ સર્કીટ ના લિધે અચાનક આગ લાગ્તા ફરજ પર રહેલ સિકયુરેટી જવાન ને આગ લાગ્વાનું ધ્યાન મા આવતા પ્રથમ દ્વારકાધીશ મંદિર ના પુજારી તેમજ શારદામઠ ના દંડી સ્વામી તેમજ દ્વારકાધીશ મંદિર નો વહીવટદાર ચલાવનાર દેવસ્થાન સમિતી ને જાણ કરાય હતી. ત્યારબાદ ફાયર-બ્રિગેડેને જાણ કરાયેલ હતી. તુરત જ સિકયુરેટી જવાનો તેમજ પુજારી ઓ અને ફાયર સ્ટાફ ના જવાનો દ્વારા ભોગ ભંડાર માંથી પાણી ની ડોલું અને ગાગરૂ છાટી આગ કાબુંમા લીધી હતી. તુરત જ આગ કાબુંમા આવી જતા મોટી જાનહાની ટળી હતી. અને ચાંદીના દરવાજા, આભૂષણો, ઇલેકટ્રીક વસ્તુઓ બળી ગઇ ' હતી જયારે બલરામજીની મુર્તિ અકબંધ રહી હતી. બનાવ ની જાણ થતા શારદાપીઠ ના દંડીસ્વામી દેવસ્થાન સમિતી ના અધિકારીઓ આર્કોલોજી વિભાગના અધિકારીઓ ,પુજારીઓ તેમજ પોલીસ સ્ટાફ ધટના સ્થડે પહોચેલ ગયો હતો.(તસ્વીર, અહેવાલઃ વિનુભાઇ સામાણી.દ્વારકા)(૨૨.૭)

(12:27 pm IST)