Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વીરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિત્તે કાલે જલારામ ધૂન મંડળ અમરેલી દ્વારા સત્‍યનારાયણ ભગવાનની કથા

 (વિજય વસાણી દ્વારા) આટકોટ,તા.૨૧ : કાલે વીરદાદા જશરાજજી ના શૌર્યદિન નિમિતે જલારામ ધૂન મંડળ પરીવાર અમરેલી દ્વારા જલારામ મંદીર લીલીયા રોડ અમરેલી ખાતે રાતે ૮:૩૦ વાગે શ્રી સત્‍યનારાયણ ભગવાન ની કથા તેમજ કથા બાદ રામધુન નું આયોજન  કરાયું છે અને સાથે સાથે પૂજ્‍ય શ્રી દાદા ને પ્રિય એવી શહેર માં વિચરતી ગાય માતા ને  મિષ્ટભોજન (સાડાસાત મણ ઘઉં ની લાપસી નું ભોજન) કરાવવા નું પણ આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં અમરેલી શહેર ના લોહાણા મહાજન ખાસ હાજરી આપશે તો અમરેલી ની ધર્મપ્રેમી જનતાને કથાનો લાભલેવા જલારામ ધૂન મંડળ પરીવાર અમરેલી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(11:35 am IST)