Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મોરબીમાં ટ્રાવેલ્સ સંચાલકની હત્યા પ્રકરણમાં વધુ એક શખ્સ ઝડપાયો

મોરબીઃ  મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાના જામના ટ્રાવેલ્સ સંચાલકની ગત તા. ર/પ/૧૯ ના રોજ રેલ્વે ફાટક પાસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં ડ્રાઇવર ધીમલભાઇએ જયરાજસિંહ  જાડેજા પાસેથી ઉછીના નાણા લીધા હોય તે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી સમાધાન કરવાના બહાને બોલાવ્યા બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસે અગાઉ છ શખ્સોને ઝડપી લીધા હતા. દરમ્યાન હત્યાના ગુનામાં ફરાર સાતમો શખ્સ ધ્રુવરાજસિંહ ઝાલાને ઝડપી લીધો હતો.

 

(12:13 pm IST)