Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સોમનાથમાં ગિરનારા પરજીયા સોની જ્ઞાતિના સમૂહલગ્નમાં ૬ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

પ્રભાસપાટણ, તા. ૨૦ :. સોમનાથદાદાનાં સાનિધ્યમાં સમસ્ત ગિરનારા પરજીયા સોની જ્ઞાતિના ૪૧માં સમૂહલગ્ન યોજાયેલ હતા. જેમાં ૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડેલા. આ સમૂહલગ્ન સ્વામીનારાયણ ગુરૂકુળમાં યોજાયા હતા. સમૂહલગ્ન ૧૬ અને ૧૭ના રોજ યોજાયા. જેમાં તા. ૧૬-૬-૧૮ના રોજ સોમનાથ મહાદેવને ડી.જે.ના તાલે વાજતે-ગાજતે ધ્વજારોહણ કરવામાં આવેલ અને તા. ૧૭ના રોજ સમૂહલગ્ન યોજાયેલ. જેમાં ૬ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડેલા. ધ્વજારોહણમાં ભીખુભાઈ દ્વારા શંભુ-ભોળાનાથના ગીતોથી વાતાવરણ શિવમય બનેલ હતું.

આ તકે રાષ્ટ્રીય જનસેવા માટે પોરબંદર સમસ્ત ગિરનારા પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૪૫ લોકોએ બ્લડ ડોનેશન કરેલ હતું તેમ પરજીયા સોની જ્ઞાતિના પ્રમુખ પ્રવિણભાઈ પાલાની યાદીમાં જણાવેલ છે (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:38 am IST)