Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભાવનગરમાં સગીરા, યુવતી અને યુવાનના આપઘાત

ભાવનગર તા.૨૦ : ભાવનગર શહેર -જીલ્લામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેાતા ત્રણ બનાવોમાં યુવતી, સગીરા, અને યુવાનના મોત નિપજ્યા છે.

ભાવનગરમાં આપઘાતના બનાવો રોજીંદા બની ગયા છે. સામાન્ય કારણને લઇને પણ આત્મહત્યા ના બનાવો વધી ગયા છે.

ભાવનગર શહેરના તરસમીયામાં રહેતી કાજલબેન તુલસીભાઇ બારૈયા ઉ.વ.૨૨ એ તેના ઘરે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ  આપઘાત વઘેરી લીધો હતો.

બજા બનાવમાં ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા રવિરાજસિંહ ભરતસિંહ ગોહિલ ઉ.વ.૩૪ તે પણ તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વઘેરી લીધી હતી.

જ્યારે ત્રીજા બનાવમાં ભાવનગરના ભાલ પંથકના કાળા તળાવ ગામે રહેતી કાજલબેન હનુભાઇ મેર ઉ.વ.૧૪ નામની સગીરાએ પણ કોઇ અગમ્ય કારણોસર તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત વઘેરી લીધો હતો.

(11:27 am IST)