Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબી : ધો. 12ના વાણિજ્ય વ્યવસ્થા અને ગણિતના પેપરમાં 34 વિદ્યાર્થીઓ ગેરહાજર.

મોરબી જિલ્લામાં હાલમાં ધો. 10, 12 બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન ગઈકાલે રવિવારની રજા બાદ આજે ફરી ધો.12 સામાન્ય પ્રવાહના વાણિજ્ય વ્યવસ્થા અને ગણિતના પેપરની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 34 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જિલ્લામાં આજે સોમવારે બપોરના સેશનમાં ધો. 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા અને ગણિત તેમજ અનિવાર્ય વ્યાકરણમ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો.12માં વાણિજ્ય વ્યવસ્થા વિષયના પેપરની કુલ 5595માંથી 32 ગેરહાજર અને 5563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જ્યારે ગણિતના પેપરમાં કુલ 55માંથી 1 ગેરહાજર અને 54 હજાર તેમજ અનિવાર્ય વ્યાકરણમમાં કુલ 16 માંથી 1 ગેરહાજર અને 15 હજાર મળી આ ત્રણેય વિષયમાં કુલ 6166માંથી 34 ગેરહાજર અને 6132 હજાર રહ્યા હતા.

(10:59 pm IST)