Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જામનગરમાં સૌપ્રથમવાર ૧૨ કલાકની અલ્‍ટ્રા મેરેથોન પૂર્ણ કરનારા ૩ દોડવિરો

અમદાવાદ તા. ૨૦ : ૧૮મી માર્ચ થી ૧૯મી માર્ચના જામનગરનાં ત્રણ દોડવીરોએ ૧૨ કલાકની અલ્‍ટ્રા મેરેથોનમાં ભાગ લઈને ૭૨ કિલોમીટરનું આર્યજનક અંતર કાપીને સહનશક્‍તિની અવિશ્વસનીય સિદ્ધિ પૂર્ણ કરી છે. દોડવીરો, ડો. તપન મણિયાર (૭૨ કિમી), પ્રશાંત નેગાંધી (૬૦ કિમી), અને નિરજ મહેતા (૬૦ કિમી), એ ૧૮મી માર્ચના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી અદાણી અલ્‍ટ્રા મેરેથોનમાં ભાગ લીધો હતો.

અલ્‍ટ્રા મેરેથોન એ સહનશક્‍તિની કઠોર કસોટી હતી જેમાં દોડવીરો પોતાની જાતને તેમની શારીરિક અને માનસિક મર્યાદાઓ ઓળંગી સતત સાંજે ૬ વાગ્‍યાથી સવારે ૬ વાગ્‍યા સુધી દોડતા હતા. તેઓ કોઈ પણ વિરામ વિના કુલ ૧૨ કલાક સુધી દોડ્‍યા. આ દોડ માં ન્‍યૂનતમ અંતર ૬૦ કિમી નું હોંય તેથી તેનાં કરતાં વધું અંતર કાપતા જ માન્‍યતા રહે જે માટે તેમણે અવિરત કલાકમાં ૫ કિલોમીટર થી વધું ની ઝડપે જ દોડતાં રહેવું પડે છે. દોડવીરોએ સમગ્ર રેસ દરમિયાન અવિશ્વસનીય નિય અને દ્રઢતા દર્શાવી, ક્‍યારેય હાર ન માની અને સતત આગળ વધવા માટે પોતાને દબાણ કર્યું.

ડો. તપન મણિયાર, પ્રશાંત નેગાંધી અને નીરજ મહેતા બધાએ અલ્‍ટ્રા મેરેથોન માટે છેલ્લા બે મહિનાથી રોજ ની ૩ કલાક ની સખત તાલીમ કરતાં, ચેલેન્‍જની તૈયારી કરવા માટે દરરોજ ૧ ૫ થી વધું કિલોમીટરની દોડ અને ચોક્કસ નિતિ ખોરાક સાથે આરામનો ઉપયોગ કર્યો છે. ખાસ નોંધ કે આ દરેક વ્‍યક્‍તિ વ્‍યવસાયમાં સતત કાર્યરત રહ્યાં અને દરેક સાંસારિક ફરજ, કૌટુંબિક જવાબદારી સાથે રહી આ સક્ષમ મહેનત અને સમર્પણ કર્યું છે.

અલ્‍ટ્રા મેરેથોનના આયોજકોએ દોડવીરોને તેમની પ્રભાવશાળી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યા હતા અને દોડ પૂર્ણ કરવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે તેમને બિરદાવ્‍યા હતા. વધુ વિગત માટે ડો. તપન મણિયાર ૯૮૨૪૬૪૬૨૨૪, પ્રશાંત નેગાંધી ૯૮૯૮૪૨૨૦૭૭, નીરજ મહેતા ૯૬૦૧૨૬૯૯૯૯ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(1:46 pm IST)