Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જામનગરમાં ચકલીના બાઉલનું વિનામૂલ્‍યે વિતરણ

જામનગર : આજે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ છે ત્‍યારે જામનગરના વિવિધ વિસ્‍તારોમાં ચાર જગ્‍યાએ ચકલીઓના માળા અને ચકલીઓને પીવા માટે પાણીની વ્‍યવસ્‍થા કરવા વિના મૂલ્‍ય બાઉલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગરના કોર્પોરેટર ડિમ્‍પલ રાવલ અને સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા છેલ્લા સાત વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિના મૂલ્‍ય ચકલીઓના માળાનું વિતરણ કરાય છે. ત્‍યારે છોટી કાશી ગણાતા જામનગરના સાત રસ્‍તા સર્કલ પાસે સવારથી જ ચકલીઓના માળા લેવા લોકો ઉત્‍સાહભેર જોવા મળ્‍યા હતા. આપણે પ્રસંગે શહેર ભાજપ અધ્‍યક્ષ ડો.વિમલ કગથરા, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન મનીષ કટારીયા, ડે.મેયર તપન પરમાર, સાશક પક્ષના નેતા કુસુમબેન પંડ્‍યા, વેપારી અગ્રણી કિરીટભાઈ મહેતા, પ્રકાશભાઈ બાંભણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર  : કિંજલ કારસરીયા, જામનગર)

(1:39 pm IST)