Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

અમરેલી ખાતે પ્રજ્ઞાચક્ષુ, અનાથ દીકરીઓને ડ્રેસ અને બુટ વિતરણનો કાર્યક્રમ યોજાર્યો

અમરેલી, તા. ર૦ :   મણિનગર અંધશાળા પ્રજ્ઞાચક્ષુ અને વિકાસગળહની ૬૫  અનાથ દીકરીઓને માનવ સેવા યજ્ઞ રૂપે સારી કવોલિટીના ડ્રેસ અને સારી ગુણવતાવાળા બુટનુ વિતરણ સરદારધામ પ્રમુખ પ્રવિણાબેન ભીખુભાઈ કાબરીયા ના સૌજન્‍યથી કરવામાં આવ્‍યુ.

     પ્રવિણાબેન દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને ડ્રેસ અને બુટનુ વિતરણનું કાર્ય એ ખરેખર નિઃસ્‍વાર્થ સેવાભાવના જ છે,તેમજ પ્રવિણાબેનનુ આ માનવસેવા યજ્ઞ સમાન કાર્ય પ્રેરણાદાયી છે.

આ દીકરીઓને જયારે બુટ અને ડ્રેસ નાસ્‍તો આપવામા આવ્‍યા ત્‍યારે દીકરીઓના મુખ પર ચંદન લેપની શીતળતા સમા  સંતોષની ભાવના દ્રશ્‍યમાન થતી હતી.

આ માનવસેવા યજ્ઞના કાર્યક્રમમાં મહેમાન તરીકે અરૂણાબેન માલાણી, દિવ્‍યાબેન સોજીત્રા,ર્મિલાબેન રાદડીયા, હંસાબેન ફીનાવા, સંગીતાબેન મેતલિયા બિંદિયાબેન કાબરીયા, દયાબેન કકાણી, નીતાબેન પાનસુરીયા, મીતાબેન વધાણી, સંગીતાબેન ગોજારીયા મંજુલાબેન બોકરવાડીયા વગેરેની  ગરીમાપૂર્ણ ઉપસ્‍થિતિથી  સંસ્‍થાના કાર્યકરોના ઉત્‍સાહમા અને જુસ્‍સામાં વધારો થયો.

કાર્યક્રમના અંતે સંસ્‍થાના વહીવટકરર્તા બી.કે.જોષી,વાળા હરેશ દવે દ્વારા દાતાઓ અને ઉપસ્‍થિત મહેમાનોનો આભાર વ્‍યક્‍ત કરવામા આવ્‍યો હતો.

(12:43 pm IST)