Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જુનાગઢમાં પુ.ભારતીબાપુની દ્વિતીય પુણ્‍યતિથીની ઉજવણી

સમાધી-પુજન-ભોજનપ્રસાદ સંતવાણી સહિતના કાર્યક્રમો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : ભારતી આશ્રમના સંસ્‍થાપક મહામંડલેશ્વર બ્રહ્મલીન સંત પુ. વિશ્વભર ભારતીજી મહારાજ (ભારતીબાપુ)ની ફાગણવદ ચૌદસ સોમવારના રોજ દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથી હોય  જેની ભાવભેર ઉજવણી જુનાગઢ ભારતી આશ્રમ ખાતે કરવામાં આવેલ.

જેમાં મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીજી મહારાજ દ્વારા તેમના ગુરૂદેવ પુ.બાપુની સમાધીનું સવારે ૮.૩૦ કલાકે શાષાોકત વિધી સાથે પુજન કરવામાં આવ્‍યુ હતુ અને બપોરે ૧૧ કલાકે ભોજન પ્રસાદ અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ નામી અનામી કલાકારો રજુ કરશે. આ કાર્યક્રમમાં સાધુ સંતો અને ભારતી આશ્રમ સેવક પરિવાર ઉપસ્‍થિત રહી ભાવ વંદના કરી હતી. તેમ પુ. મહાદેવભારતીબાપુએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

(12:37 pm IST)