Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પોરબંદરમાં પૂ.રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત કથાનો લાભ લેતા રામભાઈ મોકરીયાઃ રૂા.૧,૧૧,૧૧૧ અર્પણ

રાજકોટઃ પોરબંદર ખાતે પૂ. રમેશભાઈ ઓઝાના ૅપૂ. ભાઈશ્રીૅ ના વ્‍યાસાસને મહેર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું છે. જેમાં રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા તેમના ધર્મપત્‍ની શોભનાબેન મોકરીયા, લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક, પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપના પૂર્વ   પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો. આ તકે રામભાઇ મોકરીયા દ્વારા કથાના ધાર્મિક કાર્યમાં રૂા.૧,૧૧,૧૧૧ અર્પણ કરવામાં આવ્‍યા હતા.

(11:54 am IST)