Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વાંકાનેર ગાયત્રી શકિત પીઠે ચૈત્રી નવરાત્રી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. ગાયત્રી શકિત પીઠ ખાતે ચૈત્રી નવરાત્રી ઉજવાશે.

તા. રર-૩-ર૩ થી ૩૧-૩-ર૩ સુધીનું નવરાત્રીનું આયોજન કરવામાં આવ્‍યું છે. નવરાત્રી દરમ્‍યાન અનુષ્‍ઠાના માટે આવતા સાધનો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે.

તેમજ વહેલી સવારે પુજા-પાઠ તથા સમુહ જપ તથા બપોરે પ્રસાદ વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ રાખેલ છે. દરરોજ બપોરે ૩-૩૦ થી સાંજના સાત વાગ્‍યા સુધી શ્રીરામ ચરિત માનસના સમુહ પાઠનું રૂડુ આયોજન કરવામાં આવેલ છે.

ત્‍યારબાદ તા. ૩૧-૩-ર૩ ના રોજ સવારે પૂજા-અર્ચના તથા નવકુંડી ગાયત્રી  યજ્ઞ જે સાંજે ૬ કલાકે યજ્ઞની પુર્ણાહૂતી થશે ત્‍યારબાદ વિષિષ્‍ટ મહાનુભાવોનું સન્‍માન કરવામાં આવશે તેમજ સાંજે ૭ કલાકથી મહાપ્રસાદ શરૂ થશે દરેક ભાવિક ભકતજનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ નવરાત્રીની પુર્ણાહૂતિ થશે તેમ ગાયત્રી શકિત પીઠના મહંતશ્રી અશ્વિનબાપુ રાવલ દ્વારા જણાવવામાં આવેલ છે.

(11:49 am IST)