Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વેરાવળની ભીડિયા કન્‍યાશાળામાં માસિક ધર્મની સમસ્‍યાના નિવારણ અંગે સેમીનાર યોજાયો

પ્રભાસ પાટણ : વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકાના વોર્ડ નં. ૪ ભીડિયામાં આવેલ સરકારી કન્‍યાશાળામાં છોકરીઓ માટે માસિક ધર્મની સમસ્‍યા તેમજ માન્‍યતાઓ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનાં મુખ્‍ય વક્‍તા આદિત્‍ય બિરલા હોસ્‍પિટલનાં ખ્‍યાતનામ ગાયનેક સર્જન ડૉ. ફોરમ પારેખ (એમ. ડી.) દ્વારા બહેનોની માસિક ધર્મની સમસ્‍યા તેમજ માન્‍યતાઓ અંગે સચોટ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ સાથે જ માસિક ધર્મની સમસ્‍યાના નિવારણ માટેના ઉપાય અંગે વિસ્‍તળત જાણકારી આપવાની સાથે માસિક ધર્મ સાથે જોડાયેલ ઘણી ગેરમાન્‍યતાઓ અને અંધશ્રધ્‍ધા દૂર કરવા માટેના ઉપયોગી સમજણ આપવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. ૪ ના ચંદ્રિકાબેન સિકોતરીયા, અર્બન હેલ્‍થ સેન્‍ટરનાં મેડિકલ ઓફિસર ડો.પિનલ અને શાળાની અંદાજીત ૩૦૦ છોકરીઓ સહભાગી થઇ હતી. (તસ્‍વીર-અહેવાલ :  દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:42 am IST)