Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાવનગર દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં ૧૬૦ બાળકોનું રાત્રી રોકાણ

ભાવનગર : શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં  પારિજાતક અને ગુલાબ ટુકડીના ૧૬૦ જેટલા બાળકો એ રાત્રિ રોકાણ કર્યું. બાળકોએ સાંજે અકવાડા લાઈકની મુલાકાત લીધી અને ત્‍યાં ક્રીડાંગણ માં રમ્‍યા અને આનંદ કર્યો. ત્‍યારબાદ બાળકો જમ્‍યા પછી વાર્તા સાંભળી અને આકાશ દર્શન કર્યું.જેમાં મંગળ ગ્રહ વ્‍યાધ નો તારો  મિથુન રાશિનો તારો મળગ નો તારો વગેરે બાળકોએ જોયા. પછી બાળકો એ મ્‍યુઝિક સાથે ડાન્‍સ કર્યો અને પ્રોજેક્‍ટરમાં મુવી જોયું  હાલરડા સાંભળતા સાંભળતા સૂઈ ગયા. (વિપુલ હિરાણી,ભાવનગર)

(10:25 am IST)