Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાવનગરની સરકારી વિનયન કોલેજ તળાજામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

   ભાવનગર : સરકારી વિનયન કોલેજ તળાજામાં આજે વાર્ષિકોત્‍સવ યોજાયો હતો. જેમાં અધ્‍યક્ષ સ્‍થાને મહંત  જયદેવ શરણજી મહારાજ સર્વેશ્વર ગૌ ધામ કોબડીએ સ્‍થાન શોભાવ્‍યું.આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. પી.આર.પટેલ,ઇ. આચાર્ય ડૉ. એચ.જી.અગ્રાવત, સાંસ્‍કળતિક સમિતિના અધ્‍યક્ષ ડૉ. એ.બી.ગોહિલ,સાંસ્‍કળતિક સમિતિનાં ઉપાધ્‍યક્ષ ડૉ.ઈશ્વરભાઈ સુતરિયા હાજર રહ્યા હતા. પૂજ્‍ય બાપુએ વિદ્યાર્થીઓને સારા ભવિષ્‍યની શુભેચ્‍છાઓ સાથે સાથે જીવન ઘડતરની ઘણી વાતો સમજાવી જેમાં જીવનમાં કયારે નિરાશ ન થવું જોઈએ તથા સતત પ્રયત્‍ન કરવાથી જ સફળતા મળતી હોય છે આવી વાતો કરી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા ચારિત્ર્ય ઘડતર એ જીવન ઘડતરનો મુખ્‍ય પાયો છે એ વાત કરી તમામ વિદ્યાર્થીઓને શીલવાન બનવાની સમજ આપી તથા જીવન પર્યંત ધર્મ ભક્‍તિ અને દેશભક્‍તિ જીવનમાં કાયમ રહે એ વાત પણ સમજાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : વિપુલ હિરાણી, ભાવનગર)

(10:23 am IST)