Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ગિરસોમનાથના ઉના, તાલાળા અને સુત્રાપાડામાં સહકારી ક્ષેત્રની બેઠક યોજાઇ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા.૨૦ :  ગિરસોમનાથ જિલ્લાના ઉના, તાલાલા તેમજ સુત્રાપાડા મુકામે બેઠક સહકારી ક્ષેત્રની બેઠક યોજવામાં આવેલ જેમાં, સહકારી આગેવાનો, મંડળીઓના પ્રમુખો, સભાસદો અને ખેડૂતોની ઉપસ્‍થિતિ માં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્‍યક્ષ સ્‍થાને બેઠકો યોજાઇ. જેમાં તા.૧૯ને રવિવારના રોજ  સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખાતે નવનિર્મિત ખેડૂત ભવન લોકાર્પણ અને જુનાગઢ જિલ્લા સહકારી બેન્‍ક ના જુનાગઢ ખાતે નવ નિર્મિત થનાર બિલ્‍ડીંગના શિલાન્‍યાસ કાર્યક્રમ અંતર્ગત પધારતા ભારત સરકારના ગળહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહના કાર્યક્રમના સુચારું કાર્યક્રમ અન્‍વયે જરૂરી માર્ગદર્શન અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં સહકારી આગેવાનો સભાસદો, મંડળીના પ્રમુખોને ખેડૂત ભાઈઓ બહોળી સંખ્‍યામાં હાજરી આપે તેવું આહવાહન પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ દ્વારા કરવામાં આવેલ હતું.

 ઉના મુકામે યોજાયેલ આ કાર્યક્રમ માં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ઉપરાંત બેન્‍ક ડાયરેક્‍ટરો દિલીપભાઇ ઝાલા, જેસીગભાઈ મોરિ, લાખાભાઇ ઝાલા, મેરૂભાઈ રામ, ર્નસિંગભાઇ ડોબારિયા, શાંતિલાલ ભાઈ જાગાની, પુંજાભાઈ રામ, અજિતભાઈ જાદવ અને ઉના તેમજ ગિરગઢડા તાલુકાનાં સહકારી આગેવાનો સામેલ હતા

 જ્‍યારે તાલાલા મુકામે યોજાયેલ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ઉનડકટ, APMC તાલાલાના પ્રમુખ સંજયભાઈ શિંગાડા, બેન્‍કના ડાયરેક્‍ટર ભૂપતભાઇ હિરપરા, છગનભાઇ કંસાગરા, શૈલેન્‍દ્રસિંહ રાઠોડ, હરસુખભાઇ પટોડિયા, માનસિંગભાઈ ડોડીયા, ડાયાભાઇ વઘાસિયા, વિઠ્ઠલભાઈ માથુકીયા, હરસુખભાઈ ભાલોડીયા, ભીમસીભાઈ કપુરિયા, મનસુખભાઈ પરમાર કોળી આગેવાન વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

  ઉપરાંત સુત્રાપાડા મુકામે કૉમ્‍યુનિટી હૉલમાં યોજાયેલ બેઠકમાં વેરાવળ અને સુત્રાપાડા ના સહકારી આગેવાનો ની હાજરીમાં બેઠક યોજવામાં આવેલ જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ સાથે પૂર્વ ધારાસભ્‍ય રાજસીભાઈ જોટવા, શૈલેંન્‍દ્રસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્‍ય રાજવીરસિંહ ઝાલા, દિલીપભાઇ ઝાલા, જેન્‍તિભાઈ ઝાલા, ભીખુભાઈ ઝાલા, લાખાભાઇ મોરડીયા, રામ ગોવિંદભાઇ લોઢવા, નથુભાઈ કામાળીયા, અજયભાઇ બારડ દાનસિંગભાઈ પરમાર, રણમલભાઈ ડોડીયા માથાસૂરિયા, બાબુભાઇ ડોડીયા હરિભાઇ મડોર, મીઠાભાઇ ખેર, ભૂપતભાઇ ઝાલા, જેસિંગભાઈ મોરિ, સવદાસભાઈ ઝાલા, પ્રતાપભાઈ પરમાર, સામતભાઈ ખેરા, કાદુભાઈ જાદવ, રમેશભાઈ ઝાલા, દાનાભાઇ પટેલ, દિનેસભાઈ ભજગોતર સાથે બહોળી સંખ્‍યામાં આગેવાનો હાજર રહ્યા હતા.

 સુત્રાપાડા મુકામે યોજાયેલ બેઠક માં  નિર્ણાયક નેતળત્‍વ, દ્રઢ મનોબળ ના ધણી, અને લાખો કાર્યકર્તાઓના પ્રેરણાષાોત તેમજ પેજ પ્રમુખ સમિતિ ના પ્રણેતા એવા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ અને નવસારીના સાંસદ એવા સી. આર પાટિલના જન્‍મદિવસની ઉજવણી કેક કાપી અને તમામ આગેવાનો દ્વારા તેઓને શુભકામનાઓ સાથે ભગવાન સોમનાથ મહાદેવને તેઓના દીર્ધ અને નીરોગી આયુષ્‍ય માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી

(10:19 am IST)