Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

માધવપુરના મેળામાં નરેન્દ્રભાઇ મોદી હવે નહીં આવે

વિજયભાઇ રૂપાણી આવશેઃ ઉત્તર પૂર્વના ૭ રાજ્યોના મુખ્યમંત્રીઓમાંથી તમામ હાજર નહી રહે તેવી સંભાવના

પોરબંદર, તા. ૨૦ :. માધવપુરના લોકમેળામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હાજરી આપી શકશે નહી. તેમનો છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ્દ થયો છે.

લોકમેળામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. ઉત્તર પૂર્વના સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના હતા તેમા ફેરફાર થયાનુ જાણવા મળે છે. સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલમાંથી બે - ત્રણ મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી સંભાવના છે.

(1:08 pm IST)