Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

૫૦ ખેડૂતો સાથે ખંભાળીયામાં ઉપવાસ આંદોલન

અણઉકેલ પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માંગણી

ખંભાળીયા તા. ૨૦ : ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે સવારે અગીયાર વાગ્યાથી અત્રેના જોધપુર ગેઇટ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૫૦થી વધુ ખેડૂતો આજરોજ ઉપવાસ પર બેસેલ છે અને ૭૨ કલાકના ઉપવાસ આંદોલન કરવામાં આવનાર છે. ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાઇ ગઇ છે પરંતુ સરકાર તરફથી પેમેન્ટ મળ્યું નથી.

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સરકારે મેસેજ મોકલ્યા પણ ખરીદી કરી નથી. જમીન માપણીના નામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાભાગના સર્વે નંબરમાં ગોટાળા કર્યા છે. વગેરે મુદ્દે ખેડૂત હિતરક્ષક સમિતિના પાલાભાઇ આંબલીયા, જીવાભાઇ કનારા, દેવુભાઇ ગઢવી, સવદાસભાઇ માડમ, રાકેશભાઇ નકુમ, સોમાભાઇ નાગેશ વગેરે ૫૦થી વધુ ખેડૂતો જોડાયા છે.

(1:06 pm IST)