Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જુનાગઢમાં દારૂ પી દંગલ મચાવનાર દેવીપુજક અર્જુનની ધરપકડઃ અન્ય શખ્સની શોધખોળ

જયશ્રી રોડ પર નશાખોરોએ પથ્થરમારો કર્યો'તો

જુનાગઢ તા. ર૦  :  જુનાગઢમાં સાંજે જયશ્રી રોડ પર દારૂના નશામાં બે શખ્સોએ દંગલ મચાવી પથ્થરમારો કરીને બાઇક અને ઓફિસમાં તોડફોડ મચાવનાર અર્જુન દેવીપુજકને રાત્રે પોલીસે પકડી પાડી અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢના જયશ્રી રોડ પર આવેલ ભારત ટ્રેડર્સ નામની દુકાનના ઓટા પર બેસી બે નશાખોરો એડવોકેટ ભાવેશ ઝીંઝુવાડીયા બાઇકને પાટા મારી રહયા હતા.

આથી દુકાનનાં મેનેજર મનુભાઇ વૈષ્ણવે આ શખ્સોને ટપારતા બંને શખ્સોએ દુકાનમાં ઘુસીને તોડફોડ મચાવી હતી.

બાદમાં એડવોકેટની પાર્ક કરેલી બાઇકને કાળવાના વોકળાંમાં લઇ જઇ ત્યાં પથ્થર વડે નુકસાની પહોંચાડી બંને ઇસમો નાસી ગયા હતા.

આ અંગેનીજાણ થતા ડીવાયએસપી એમ.એસ. રાણા તથા બી.ડીવીઝનના પી.આઇ. એન.એ. વાળા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને જયશ્રી રોડ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દઇ ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન રાત્રીના ૯.૩૦ની આસપાસ પીઆઇ વાળા વગેરેએ નશામાં દંગલમચાવનાર મુબારકબાગનો અર્જુન ઉર્ફે રાડીયો, અમન મકવાણા નામના દેવીપુજકની ધરપકડ કરી તેને સારો એવો બોધપાઠ આપ્યો હતો.

અન્ય ર ફરાર શખ્સને પકડી પાડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)