Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાગરિકતા કાયદાના વિરોધમાં વાંકાનેરમાં રેલી

વાંકાનેરઃ નાગરિકતાના કાળા કાયદાના વિરૂદ્ધમાં વાંકાનેરમાં ઇરફાન પીરઝાદાની આગેવાનીમાં નીકળેલી રેલીમાં વાંકાનેર તાલુકાના કોંગ્રેસ આગેવાનો સહિત ગ્રામ્ય-શહેરીજનોની વિશાળ સંખ્યા જોડાઇ છ.ે બેનર અને સુત્રોચ્ચાર સાથે આ કાયદો રદ્દ કરવાની માંગણી કરાઇ છે લઘુમતીઓને ન્યાય આપવા માટેની આ રેલી તાલુકાના પંચાયત કચેરીથી  સવરે ૧૦/૩૦ વાગ્યે શરૂ થઇ જીનપરા, સિટી સ્ટેશન રોડ, બજાર રોડ થઇ પુલ દરવાજાથી સેવા સદન જઇ ત્યાં નાયબ કલેકટરશ્રીને આવેદન પાઠવીને આ આવેદન રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માંગણી કરેલ હતી. પોલીસ દ્વારા કડક બંદોબસ્ત છેક સુધી ગોઠવાયેલો રહ્યો હતો. (તસ્વીરઃ અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

(1:02 pm IST)