Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પોરબંદરમાં નૃત્યાજલી કાર્યક્રમ

પોરબંદર : રાજકોટ ની સંસ્થા તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ આઙ્ખફ કલાસિકલ ડાંસ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય નો કાર્યક્રમ યોજાયો.જેના ડિરેકટર ગુરુશ્રી જીગ્નેશ સુરાણી અનેઙ્ગ એમના બહેન કુ. ક્રિષ્નાબેન સુરાણી છે. જેની એક શાખા પોરબંદરઙ્ગ ની તાજાવાલા શાળા માં છેલ્લા ૩ વર્ષ થી ચાલી રહી છે.જયાં નૃત્ય શિક્ષક તરીકે પોરબંદર ના રહેવાસી શ્રી કિશન હિંગળાજીયા સંસ્થા સાથે જોડાઈ ને ફરજ બજાવી રહ્યા છે.આર્યકન્યા ગુરુકુળ ના ચીફ કોર્ડીનેટર શ્રીમતી પ્રજ્ઞાબેન ગજ્જર નો પોરબંદર માં શાખા શરૂ કરવાથી લઈ ને ભારતીય કલા ને લગતા કોઈ પણ કાર્ય માં તથા આ કાર્યક્રમ માટે અમૂલ્ય ફાળો રહ્યો છે.જેના માટે સંસ્થા અને સંસ્થા નો પરિવાર તેમનોઙ્ગ હૃદય પૂર્વક આભારી છે.શાસ્ત્રિય નૃત્ય ના આ કાર્યક્રમ માં પોરબંદર ના પૂજય ગોસ્વામી શ્રી વસંત બાવા મહોદય એ પોતાની અમૂલ્ય હાજરી આપી ને વિદ્યાર્થીઓ ને પોતાના આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનેઙ્ગ પ્રોત્સાહન આપવા માટે પોરબંદર ના ઓમ ટેકનો લેબ દ્વારા શિલ્ડ સ્પોસર કરાયા હતા.જેના માટે સંસ્થા તેમના પણ આભારી છે.હતા. કાર્યક્રમમાં રજૂ નૃત્યકલાની તસ્વીર.

(1:01 pm IST)