Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મોરબીમાં સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૧૮૬ એકાસણા

મોરબીઃ લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધીપતી પ.પુ. આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી બા.બ્ર. સેવામૂર્તિ અંજનાબાઈ મહાસતીજીના સંયમ જીવનના ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શ્રી મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વાર એકાસણા કરાવવામાં આવેલ જેમાં ચા-દૂધ,નાસ્તાથી લઈને જમવા સુધીની બધી જ ૩૦ જેટલી વસ્તુઓ બનાવેલ અને કુલ ૧૮૬ તપસ્વીઓ એકાસણા કરેલ દરેકને અનુમોદના કરવામાં આવેલ સોની બજાર ઉપાશ્રય ખાતે સવારથી સાંજ સુધી ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં વિશાલ સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓએ ધર્મલાભ લીધો હતો . કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ મનોજભાઈ દેસાઈ, રાજુભાઈ ગાંધી, જીતેશભાઈ દફતરી, હિતેશભાઈ મહેતા, ડો. ભાવિનભાઈ દોશી, અશોકભાઈ મહેતા, અનિલભાઈ દોશી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. એક સભામાં કરવામાં આવ્યા તે તસ્વીર.

(1:00 pm IST)