Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ખાસ યોજના જાહેર કરવાની માંગ સાથે ચેમ્બર દ્વારા કેન્દ્રમાં રજુઆત

મોરબી,તા.૧૯: જીલ્લામાં સિરામિક સહિતના ઉદ્યોગોના વિકાસ થયા હોય ત્યારે સિરામિક સેકટરના ઉદ્યોગો માટે ખાસ યોજના જાહેર કરવાની માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના નાણામંત્રી તેમજ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને વિવિધ માંગણીઓ કરી છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં હાલમાં અંદાજે ૧૧૫૦ સિરામિક તેમજ તેને લગત આનુસંગિક ઉદ્યોગો કાર્યરત છે. હાલમા વૈશ્વિક મંદી અને વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ એન્ટી ડમ્પીંગ ને લીધે મોરબી જિલ્લાના મોટા કદના સિરામિક ઉદ્યોગો મંદીના ભરડામાં સપડાઇ ગયેલ છે. જે ધ્યાને લઇ,ઙ્ગસિરામિક સેકટરના ઉદ્યોગો માટે ઉપરોકત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અંતર્ગતની યોજનામાં ૨ % વ્યાજ સહાય તથા પાવર ટેરીફ જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેતો,ઙ્ગહાલના તબક્કે મંદીના ભરડામાં સપડાઇ ગયેલ સિરામિક ઉદ્યોગોને પુનૅં વેગવંતો કરી શકાય. જેથી સિરામિક ઉદ્યોગો માટે વ્યાજ સહાય અને પાવર ટેરીફ જેવી યોજનાઓ સત્વરે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.

નાણામંત્રી નિર્મલા સિતારમનને પત્ર પાઠવી જણાવ્યું છે કે સરકાર દ્વારા થોડા સમય પૂર્વે કોર્પોરેટ ટેક્ષમાં મોટી રાહત આપવામાં આવી છે અને ઉદ્યોગોને ઇન્કમટેક્ષ સહિતની રાહત આપવામાં આવી છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ જે મધ્યમ ઉદ્યોગમાં આવે છે તેને પણ આવા ટેક્ષ બેનીફીટ આપીને પ્રોત્સાહન આપી સકાય છે આવા પ્રોત્સાહનથી સિરામિક ઉદ્યોગનો વિકાસ ઝડપી થઇ સકે તેમ હોય અને હાલ મંદીના માહોલમાં રહેલ સિરામિક ઉદ્યોગને સંજીવની સમાન બની રહે તેમ હોવાથી આ અંગે યોગ્ય પગલા ભરવા અને ટેક્ષ બેનીફીટ લાભ આપવાની માંગ કરી છે.

(12:59 pm IST)