Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ખંભાળીયા પાલિકાના સફાઇ કામદારો દ્વારા આવેદનઃ રોજમદારો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાની રાવ

ખંભાળિયા તા. ૧૯ : પાલિકાના સફાઇ કામદારોના વાજબી પશ્નો અંગે  ઉકેલ ના આવતા ચીમનભાઇ ગોકાભાઇ વાઘેલા દ્વારા તેમની પડતર માંગો ૧૦/૧પ વર્ષથી નોકરી છતા કાયમી નહી ઓછી સંખ્યા કામ વધુ બોનસ નહી વિ. મુદ્દે આંદોલન શરૂ કર્યું છે જેમાં ગઇકાલે તેમણે વડા પ્રધાન તથા મુખ્યમંત્રીને આ અંગે ફરીયાદ કરી છ.ે

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લખેલી આ ફરિયાદમાં ૩પ ફીકસ રોજદારો પાસેથી પી.એફ.ની રકમ માટે ૩/૩ હજાર લેવાયા હતા છઠ્ઠા પગાર પંચની રકમના એરિયસ માટે ર૭૦૦ રૂ. લેવાયા હતા.

પાલિકાના એક કર્મચારી રોજમદારો પાસેની નોકરી ચાલુ રાખવાના પણ પૈસા ઉઘરાવે છે આથી આ અંગે યોગ્ય તપાસ કરી પગલા લેવાની માંગ કરાઇ છે.

એરિયર્સની રકમની ગણતરી કરે તેને પણ રૂ.પ૦૦ દેવામાં આવતા હોવાની ફરીયાદ થઇ છે.

(12:55 pm IST)