Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

લાલપુરમાં જરૂરીયાતમંદોને ધાબળા વિતરણ

લાલાપુર : લાલપુર ખાતે શ્રી શાંતિલાલ જીવાભાઇ તેરૈયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ દરિદ્રનારાયણને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ધાબળા વિતરણ કરાયેલ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ જયેશ તેરૈયા લાલપુર ગ્રામ પંચાયતના યુવા ઉત્સાહી સરપંચ સમીરભાઇ ભેંસદડીયા, તાલુકા સરપંચ એશો.ના પ્રમુખ જયુભા જાડેજા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હિરજીભાઇ ચાવડા, મહિલા આયોગ સમિતિના સભ્ય વનીતાબેન ફળદુ, સેવા સહકારી મંડળીના પ્રમુખ પોલાભાઇ ફળદુ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના તાલુકા પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના જીલ્લા મહામંત્રી હરપાલસિંહ જાડેજા તેમજ વિવેકાનંદ યુવા ગ્રૃપના હર્ષભાઇ દવે, બ્રહ્મસમાજના આગેવાન દેવેનભાઇ નાકર, યશભાઇ વ્યાસ, યશભાઇ પાબારી સહિત યુવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:57 am IST)