Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગોંડલમાં ગોંડલીયા પરિવારના ૧૧ મઢોના દેવસ્થાન શ્રીનાનીયા મામા મંદિરે માતાજીનો ભવ્ય માંડવો

ઇષ્ટદેવ શ્રી મોમાઇ માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીના માંડવાનું ભવ્ય આયોજન

જામનગરઃ  તા.૧૯, રાજકોટ જિલ્લાનાં ગોંડલ શહેરમાં આવેલ નવલખા બંગલાનાં કોઠા પર બિરાજમાંન સુપ્રસિધ્ધ ગોંડલીયા પરિવારનાં ૧૧ (અગિયાર) મઢોનું દેવસ્થાન શ્રી નાનીયા મામા મંદિરે ખાતે ગુજરાતભરમાં વિખુટા પડેલ ગોંડલીયા પરિવારને એકત્રિત કરી એક તાંતળે બાંધવા સત્ય,પ્રેમ,કરુણાનો સંગમ આગામી તા ૫-૨-૨૦૨૦ને મહાસુદ-૧૧ ને બુધવારે ગોંડલીયા પરિવારનાં ઇષ્ટદેવ શ્રી મોમાઇ માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીનો ભવ્ય માંડવાનો ૨૪ કલાકનેા ભરચક અને ભગીરથ કાર્યક્રમનું આયોજન ગોંડલીયા પરિવાર દ્વારા કરવામાં આવનાર છે.

જેથી સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ગોંડલીયા પરિવારનાં તમામ નાના-મોટા સભ્યોને ઉપસ્થિત રહી સમસ્ત ગોંડલીયા પરિવારનાં આ કાર્યક્રમને સફળ બનાવવા ગોંડલીયા પરિવારના મેનેજમેન્ટનાં અગ્રણીઓ સહિત આ ભગીરથ કાર્યમાં જોડાયા છે. ગોંડલીયા પરિવારની એક આશાસ્પદ અને ઉત્સાહી રાજકોટની દિકરી આંકાક્ષા ગોંડલીયા દ્વારા ગોંડલીયા પરિવારને જાહેર આમંત્રણ પાઠવી તમામે હાજર રહી આ પ્રસંગને દીપાવવા અને ગોંડલીયા પરીવારની એકતા અને અખંડિતતા બનાવવા માટે જાહેર અપીલ કરેલ છે. ગોંડલીયા પરિવારનાં નાના-મોટા તમામ જ્ઞાતિજનોએ પોતાની અંગત જવાબદારી સમજી સમયસર ગોંડલ મુકામે આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જાહેર વિનંતી કરવામાં આવેછે.

(11:54 am IST)