Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

વેરાવળમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠન જીલ્લા કાર્યાલયનું થયેલ ઉદ્ઘાટન

પ્રભાસ પાટણ તા. ૧૯ :.. ગીર સોમનાથ જીલ્લાનાં પાટનગર વેરાવળ ખાતે ગીતાનગર ૧ માં સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર-સોમનાથ જીલ્લા કાર્યાલયનું ઉદઘાટન સમાજનાં કર્મશીલો દ્વારા યોજાયું.

સૌરાષ્ટ્ર દલિત સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક પરીવર્તન, સામાજીક સુધારા અને ફુલે આંબેડકરની ચળવળની લડાઇ લડે છે. જેમાં અત્યાચારના બનાવમાં ન્યાયની પ્રક્રિયામાં મદદ કરવી લોકોને કાયદાકીય રીતે તૈયાર કરવા, પંચાયતી રાજ, પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાયદાકીય રીતે તાલીમ, મીટીંગ અને પરિસંવાદ દ્વારા તૈયાર કરવા મહિલાઓને તેમના હક અધિકારથી જાગૃત કરવા મહાપુરૂષોનું સ્વપ્ન ભવન તેવા પ્રકારનાં કાર્યક્રમો કરવા તેમની જન્મ જયંતિ અને નિર્વાણ દિનની ઉજવણી કરવી વગેરે પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે.

વેરાવળમાં જીલ્લા સંગઠનનું કાર્યાલય બનાવી લોકોને તેમના પ્રશ્નનું નિરાકરણ મેળવવા અને કાયદાકીય માહિતી મેળવવા થાય તેવા ઉમદા હેતુ માટે કાર્યાલયની સ્થાપના કરેલ ગીર-સોમનાથ જીલ્લાનાં અનુ. જાતિ - જનજાતિ અને ઓ.બી.સી.નાં લોકોને કાર્યાલયની મુલાકાત પ્રશ્નો બાબતે જાણકારી મેળવવા સૌરાષ્ટ્ર દલિત સંગઠનનાં ઝોનલ સંયોજક ગોવિંદભાઇ ચાવડાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:51 am IST)