Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઉપલેટાના મજેઠી ગામે વિજતંત્રની બેદરકારીને કારણે ભેસનો ભોગ લેવાયો

ઉપલેટાઃ  તાલુકાના મજેઠી ગામમાં થાનીયાણા જતા રસ્તામાં ૩ ભેંસો ઉપર જીવતો ઈલેકટ્રીક વિજ વાયર પડતા ધટનાસ્થળે જ એક ભેંસનુ મોત નિપજયુ હતુ.જયારે ૨ ભેંસને ઈજા થતા સારવાર આપવામા આવી હતી.ખેડુત ભુરાભાઈ મેરામભાઈ જરૂ પોતાની ત્રણ ભેંસોને લઈને સવારે પોતાના દ્યરેથી ખેતરે જઈ રહ્યા હતા જરૂ નો સદનસીબે બચાવ થયો હતો.આ ધટનાની જાણ થતા તાલુકા ભાજપના મહામંત્રી પૃથ્વીરાજ સિંહ ચુડાસમા ગયા હતા.જીઈબીનો સ્ટાફ, પાટણવાવ પોલીસ, વેટરનરી ડોકટર,તલાટીમંત્રી સહીતનો સ્ટાફ દ્યટનાસ્થળે દોડી ગયો હતો.આ બનાવથી વિજ તંત્રની બેદરકારી સામે આવી હતી દોઢ લાખની કિંમતની ભેંસ ગુમાવવાનો વારો આવ્યો હતો.

(11:45 am IST)