Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સહકારી મંડળી સંચાલિત પંપની કાર્યરેલીના વિરોધમાં

જામજોધપુરમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ

જામજોધપુર, તા. ૧૯ :. જામજોધપુર પેટ્રોલ-ડીઝલ પેટ્રોલ પંપ એસો. દ્વારા પેટ્રોલ-ડીઝલનુ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયેલ. આજે બંધનો બીજો દિવસ છે.

અહીં ખાતે સહકારી મંડળી સંચાલિત પેટ્રોલ પંપની કાર્યપદ્ધતિના વિરોધમાં આ બંધનું એલાન આપેલ હોવાનું પેટ્રોલ પંપ એસો.ના હોદેદારોએ જણાવેલ છે. આ જામજોધપુર સહકારી મંડળીના પેટ્રોલ પંપને ન્યારા એનર્જીનો પેટ્રોલ પંપ ફાળવવામાં આવેલ છે તે કન્ઝયુમર પંપ છે. તેણે મંડળીના સભાસદોને રૂ. ૨ નીચા ભાવે પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવાનું હોય છે.

જ્યારે મંડળી સંચાલિત આ પેટ્રોલ પંપના સંચાલકો તમામ ખાનગી લોકોને પણ (સભાસદ ન હોય) તેને પણ રૂ. ૨ નીચા ભાવ ડીઝલ વેચાણ કરીને કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.

એસો. દ્વારા ડીએસપી જિલ્લા કલેકટર તેમજ ગાંધીનગર ખાતે સંબંધીત વિભાગોને લેખીત રજૂઆત કરી છે.

પંપના સંચાલકોએ સરકારના આદેશો પણ માનેલ નથી અને નીચા ભાવે ગેરકાયદે વેચાણ કરતા હોવાથી તેની સામે પગલા લેવા માંગણી કરેલ છે.

(12:00 pm IST)