Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સિહોરના પીપરડીમાં જંતુનાશક દવાની પાણી પીતા ચાર બાળકોને ફૂડ પોઈઝિંગ : બે બાળકોના કરૂણમોત : 2 ગંભીર

ભાવનાગર જિલ્લાના સિહોરના પીપરડી ગામે 2 બાળકોના મોત થયાં છે. જેમાં 4 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. બાળકોએ જંતુનાશક દવાનું પાણી પીધું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે

  આ અસરગ્રસ્ત 4 બાળકોમાંથી 2 બાળકોના મોત થયા છે. જ્યારે 2 બાળકો ગંભીર છે.જે સિહોર હોસ્પિટલમાં બાળકો સારવાર હેઠળ છે.

 સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મોતનું સ્પષ્ટ કારણ તો તપાસ પછી જ ખબર પડશે.2 બાળકોના મોત થતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

(12:29 am IST)