Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોના સંબંધીને હોસ્પિટલમાં મળવાની જોગવાઇ કરો

રાજુલા,તા. ૧૯: અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ પરેશભાઈ ભુવા અને અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી તેજસ મસરાણી દ્વારા જે કોઈ પણ વ્યકિત કોરોનાના સંક્રમણનો ભોગ બને છે અને હોસ્પિટલમાં સારવાર અર્થે હોય ત્યારે સંક્રમિત વ્યકિત પોતાનું મનોબળ ગુમાવી બેસે છે ત્યારે જો આવા સમયે એમના કોઈ સ્વજન એમની સેવા માટે અથવા મુલાકાત માટે સમય માંગે તો એમને જો એ સમય કોરોના ની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ સુરક્ષિત પ્રકારે એમના પાસે રહેવા દેવામાં આવે તો એમના મનોબળની સંખ્યા બમણી થવાની પુરી શકયતા છે અને સાથો સાથ સંક્રમિતના સ્વજનો ત્યાંના કર્મચારીઓને પણ મહદ અંશે મદદરૂપ પણ થઈ શકે છે.

જો આ પ્રકારે મહારાષ્ટ્રમાં છૂટ આપવામાં આવતી હોય તો આપણા ગુજરાતમાં પણ આ પ્રકારે છૂટ આપી વધતા મૃત્યુ દર પર પણ અંકુશ આવશે તેવું અંત માં પરેશભાઈ ભુવાએ મુખ્યમંત્રીને જણાવેલ છે.

(1:06 pm IST)